ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 3:33 પી એમ(PM) | હવાઇમથક

printer

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ છે. અંદાજે એક કરોડ 70 લાખથી વધુ યાત્રીઓએ આ સેવાનો લાભ લીધો છે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
યાદી મુજબ, રાજ્યમાં આગામી સમયમાં અંબાજી, દેવભૂમિદ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમ જ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એર-સ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરાયું છે. રાજ્યમાં ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ અને માળખામાં વધારો કરવા રાજ્ય સરકાર અને ભારતીય હવાઈમથક સત્તામંડળ વચ્ચે સમજૂતી કરાર- MoU પણ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ