મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે તારીખ ૨ નવેમ્બર, શનિવારે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન-પૂજા માટે જશે.
ત્યારબાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટ્ર ખાતે સવારે ૮ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ સવારે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવશે.
અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ અધિકારીઓની ર્મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:41 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે
