મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિવિધ બ્રિજની ચકાસણી અને તપાસની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં રોડ રસ્તાના સમારકામની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વરસાદ અને જળાશયોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આજે યોજાયેલી બેઠકમાં આગામી વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિવિષયક નિર્ણયો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી.
Site Admin | જુલાઇ 16, 2025 2:44 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ
