ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 9:50 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું છે. મુખ્યમંત્રીએ ગઈ કાલે આ પ્રોજેક્ટસનાં સ્થળની મુલાકાત લીધી હતી.અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ૫૩ ટકા પ્રગતિ થઈ છે, જ્યારે પ્રથમ તબક્કાની ૯૯ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 2027માં બેરેજની કામગીરી પૂરી થયા બાદ જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે, જેને પગલે સરકારને ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસુલાતથી વાર્ષિક અંદાજે ૯૦૦ કરોડ રૂપિયાની આવક મળશે.ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરિયામાં વહી જતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે આ યોજના હાથ ધરાઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ