ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 2:39 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છે અને બ્રહ્મસમાજે તેમાં અગ્રેસર રહેવાનું છે.આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બ્રહ્મસમાજ મશીનથી કૃત્રિમ બુધ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુધ્ધિમત્તાનો સદીઓથી ઉપયોગ કરે છે. ત્રણ દિવસની આ બિઝનેસ મીટમાં યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે. બીટુબી અને બીટુસી મિટિંગ પણ યોજવામાં આવશે. સમિટમાં 200થી વઘુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમિટમાં બે લાખ લોકો હાજરી આપે તેવી સંભાવના છે. સમિટ દરમિયાન સંત સંમેલન પણ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ