મહિલા અને બાળ વિકાસમંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી ‘પોષણ પખવાડિયા ૨૦૨૫’નો રાજ્યવાપી શુભારંભ કર્યો.
આ પ્રસંગે શ્રીમતી બાબરિયાએ જણાવ્યું કે કહ્યું, સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ હોવાનું જણાવતા, તેમણે કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓથી આંગણવાડી કાર્યકરો એમ સૌના પ્રયાસથી ગુજરાત સુપોષિત બનશે. સૌના સામૂહિક પ્રયાસથી, “સુપોષિત ગુજરાત”ના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા તેમણે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે ભુલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Site Admin | એપ્રિલ 8, 2025 7:49 પી એમ(PM)
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી ‘પોષણ પખવાડિયા ૨૦૨૫’નો રાજ્યવાપી શુભારંભ કરાવ્યો
