કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની મુલાકાત લીધી અને ભારતની રેલ્વેની માળખાગત સુવિધાઓમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે મુસાફરોના આરામ અને સલામતી માટે 12 નોંધપાત્ર સુધારાઓ સાથે અમૃત ભારત ટ્રેન કોચમાં અદ્યતન સુવિધા સહિત પરિવર્તનશીલ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. બે વર્ષમાં ઓછી આવક ધરાવતા જૂથો માટે 50 નવી સસ્તી ટ્રેનો શરૂ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.
તેમણે વંદે ભારત ટ્રેનોમાં અદ્યતન સુવિધાઓનું પણ અનાવરણ કર્યું. તેમણે કનેક્ટિવિટી સુધારવા માટે આંતરરાષ્ટ્રીય કુશળતા સાથે ડિઝાઇન કરાયેલ મોડિફાઇડ પંબન બ્રિજ પૂર્ણ થવાની પુષ્ટિ કરી છે. વધુમાં, જમ્મુથી શ્રીનગર વંદે ભારત સેવા 97 ટનલ અને લાંબા પુલ સાથેના તેના પડકારજનક રૂટને કારણે સખત પરીક્ષણ હેઠળ છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 2:05 પી એમ(PM) | કેન્દ્રીય રેલ્વે મંત્રી
મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા જૂથો માટે ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે :કેન્દ્રીય રેલ્વે મંત્રી
