કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો કે, મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું બંધારણના અનુચ્છેદ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની વિવિધ કલમો તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર કરાશે.
આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, કાયદા વિભાગ અને UIDAI ના મુખ્ય વહીવટી અધિકારી સાથે યોજાયેલી બેઠક દરમિયાન લેવાયો હતો. એક નિવેદનમાં, ચૂંટણી પંચે ઉલ્લેખ કર્યો કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-UIDAI અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ચર્ચા ટૂંક સમયમાં શરૂ કરાશે.
Site Admin | માર્ચ 18, 2025 7:50 પી એમ(PM)
મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય.
