મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન તેમણે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સરકારને તમામ કેન્દ્રીય સંસ્થાઓસંપૂર્ણ રીતે સતર્ક હોવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યોને પણ ભારે વરસાદના કારણે કોઈ પણપરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાની સલાહ આપી હતી. હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ સમિતિને માહિતી આપી કે, આ ચક્રવાત ગુરુવારે સવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)
મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી
