ભારત-પાક વચ્ચે તણાવને લઇને અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા મંદિરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ મેશ્વો ડેમ ખાતે પણ પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.. ગુજરાત-રાજસ્થાન સરહદ પર શામળાજી મંદિર આવેલું હોવાથી પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી.
Site Admin | મે 10, 2025 3:09 પી એમ(PM)
ભારત-પાક વચ્ચે તણાવને લઇને અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ થયું
