ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 24, 2025 7:49 પી એમ(PM)

printer

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરી.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરી છે અને કહ્યું છે કે ભારતે દાયકાઓથી સરહદ પારથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે સશસ્ત્ર સંઘર્ષોમાં નાગરિકોના રક્ષણ પર એક ખુલ્લી ચર્ચામાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. વિશ્વએ ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા કુખ્યાત આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના વરિષ્ઠ સરકારી, પોલીસ અને લશ્કરી અધિકારીઓને હાજરી આપતા જોયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ