પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની જહાજો, વેપાર અને ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા છે.ભારતે ભારતીય બંદરોમાં પાકિસ્તાની જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ સાથે ભારતીય જહાજોને પાકિસ્તાની બંદરોની મુલાકાત લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો ધ્વજ લહેરાવતા કોઈપણ જહાજને કોઈપણ ભારતીય બંદરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તથા ભારતીય ધ્વજવાળા જહાજો પણ પાકિસ્તાનના કોઈપણ બંદરની મુલાકાત લેશે નહીં. આ પ્રતિબંધો તાત્કાલિક અસરથી અને આગામી આદેશો સુધી લાદવામાં આવ્યા છે.અગાઉ, ભારતે, પાકિસ્તાનથી થતી પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો
Site Admin | મે 4, 2025 9:45 એ એમ (AM)
ભારતે પાકિસ્તાની જહાજો, વેપાર અને ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા
