ભારતે પાકિસ્તાનથી થતી પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં ઉદ્ધભવતા અથવા નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ અપવાદ માટે સરકારની મંજૂરીની જરૂર પડશે.
Site Admin | મે 3, 2025 2:04 પી એમ(PM)
ભારતે પરોક્ષ અને પ્રત્યક્ષ આયાત પર પ્રતિબંધ લાદીને પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યો
