ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. RBI ના જણાવ્યા અનુસાર, આ સમજૂતી કરાર દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રૂપિયા અને મોરિશિયસ રૂપિયાના ઉપયોગને સરળ બનાવવા માટે કરાયા છે, જેમાં તમામ ચાલુ ખાતા વ્યવહારો અને માન્ય મૂડી ખાતા વ્યવહારો આવરી લેવામાં આવ્યા છે.
આ માળખું નિકાસકારો અને આયાતકારોને તેમના સંબંધિત સ્થાનિક ચલણોમાં બિલ અને ચુકવણીઓ સરભર કરવાની મંજૂરી આપશે. RBI એ
જણાવ્યું કે, દ્વિપક્ષીય વ્યવહારોમાં સ્થાનિક ચલણોનો ઉપયોગ કરવાથી ભારત અને મોરેશિયસ વચ્ચે વેપાર સંબંધો વધશે, નાણાકીય એકીકરણ વધુ ગાઢ બનશે અને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.
Site Admin | માર્ચ 18, 2025 8:05 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
