આતંકવાદ સામે ભારતના સૈદ્ધાંતિક અને દૃઢ વલણનો સંદેશ લઈને આવેલા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાંથી, ત્રણ પ્રતિનિધિમંડળો હવે સંબંધિત દેશોની સફળ મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે.જેડી(યુ)ના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ભારત પરત ફર્યું. મીડિયા સાથે વાત કરતા શ્રી ઝાએ કહ્યું કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનો સંદેશ એ હતો કે આખો દેશ આતંકવાદના મુદ્દા પર એક છે. NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળે ઇજિપ્તની મુલાકાત દરમિયાન અગ્રણી બૌદ્ધિકો, મીડિયા નેતાઓ અને અભિપ્રાય નિર્માતાઓ સાથે વાતચીત કરી. પ્રતિનિધિમંડળે આતંકવાદ સામે લડવા માટે ભારતને આપવામાં આવી રહેલા ઇજિપ્તના સતત સમર્થનનું સ્વાગત કર્યું.ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સંસદીય પ્રતિનિધિમંડળ હાલમાં બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના મુખ્યાલયની મુલાકાતે છે. યુરોપિયન યુનિયન સ્તરે અને બેલ્જિયમના અધિકારીઓ સાથેની વાતચીતમાં આતંકવાદ અંગે ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની જાણકારી આપી હતી.. દરમિયાન, કોંગ્રેસના સાંસદ ડૉ. શશિ થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ડીસીમાં યુએસ કોંગ્રેસ અને વહીવટીતંત્ર, થિંક ટેન્ક, મીડિયા અને નીતિ નિર્માતાઓને મળવા પહોંચ્યા છે
Site Admin | જૂન 4, 2025 10:44 એ એમ (AM)
ભારતના સૈદ્ધાંતિક અને દૃઢ વલણનો સંદેશ લઈને આવેલા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાંથી, ત્રણ પ્રતિનિધિમંડળો પરત ફર્યા
