ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 2:06 પી એમ(PM)

printer

ભારતના પ્રવાસે આવેલા અંગોલાના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ સ્તરની વાતચિત શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે ઘણા મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યાપાર ગૃહો અને મીડિયા સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે સવારે રાષ્ટ્રપતિ લોરેન્કોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ લોરેન્કોએ કહ્યું હતું કે છેલ્લા 38 વર્ષમાં અંગોલાના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે, તેમણે ભારત અને અંગોલા વચ્ચે મિત્રતા અને સહકારના બંધનને મજબૂત બનાવવા માટે આ મુલાકાતના મહત્વ પર ભાર મૂક્યો.
રાષ્ટ્રપતિ લોરેન્કોએ ભારતના લોકો તરફથી મળેલા ઉષ્માભર્યા અને આતિથ્યપૂર્ણ સ્વાગતની પ્રશંસા વ્યક્ત કરી.
સવારે તેમણે રાષ્ટ્રપતિ લોરેન્કોએ પણ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે સવારે રાષ્ટ્રપતિ લોરેન્કોને મળ્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે તેમના અંગોલા સમકક્ષ સાથે ચર્ચા કરશે અને મુલાકાતી મહાનુભાવના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ