વિદેશ વેપાર મહા-નિર્દેશાલયએ બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી નવા નિયંત્રણો લાદયા છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં. બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડા જમીન બંદર દ્વારા આયાત કરી શકાશે નહિ. જોકે, આ માલ ન્હાવા શેવા અને કોલકાતાના દરિયાઈ બંદરો દ્વારા આયાત કરી શકાશે.આ ઉપરાંત, ફળો, પીણાં, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, કપાસ અને સુતરાઉ યાર્નનો કચરો, પ્લાસ્ટિક અને પીવીસીથી બનેલા સામાન અને લાકડામાંથી બનેલા ફર્નિચરની આયાત પર પ્રતિબંધ રહેશે. બાંગ્લાદેશથી માછલી, એલપીજી, ખાદ્ય તેલ અને પથ્થરોની આયાત પર નવા નિયંત્રણો લાગુ પડશે નહીં.
Site Admin | મે 18, 2025 9:05 એ એમ (AM)
બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી ભારતે નવા નિયંત્રણો લાદયા
