ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 13, 2025 7:54 પી એમ(PM) | શ્રદ્ધાંજલી

printer

પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત રાજ્યભરના લોકોએ દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમણે સોસિયલ મીડિયા પોસ્ટ એક્સ અને થ્રેડ પર લખ્યુ છે કે “વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. તેમણે વિજય રૂપાણીના કાર્યોને પણ યાદ કર્યા હતાં.
જ્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં દિવગંત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને તેના સાંત્વના આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.
જ્યારે રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવી ચૂકેલા નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે રાજકોટની શાળાઓએ એક દિવસની રજા જાહેર કરી છે. જ્યારે રાજકોટના વેપારીઓએ પણ વેપાર રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ