પેરિસમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. મોદી અને મેક્રો અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આ મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે, ભારતીય દૂતાવાસ પરસ્પર સંબંધોને મજબૂત બનાવશે. અહેવાલ… (BYTE: FINAL-SANJEEV-SINGLA) મોદીએ એમ પણ કહ્યું કે, આજે તેઓ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટરની પણ મુલાકાત લેશે. આ એક બહુરાષ્ટ્રીય પહેલ છે જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક લાભ માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 2:03 પી એમ(PM) | પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે
