ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 24, 2025 7:51 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને દરેક રાજ્યમાં વૈશ્વિક ધોરણો મુજબ એક પર્યટન સ્થળ વિકસાવવા જણાવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું છે.
આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતાં, પ્રધાનમંત્રીએ એક રાજ્ય: એક વૈશ્વિક સ્થળ પર ભાર મૂકતાં કહ્યું કે આનાથી પડોશી શહેરોનો પણ પ્રવાસન સ્થળો તરીકે વિકાસ થશે. તેમણે ભાર મૂક્યો કે વિકાસ, નવીનતા અને ટકાઉપણું શહેરોના વિકાસનું એન્જિન હોવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો કેન્દ્ર અને બધા રાજ્યો સાથે મળીને ટીમ ઇન્ડિયા તરીકે કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. “વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે, જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે,”. તેમણે કહ્યું કે આ 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. પ્રધાનમંત્રી મોદીએ દરેક કાર્યોમાં મહિલાઓનો સમાવેશ કરવા વિનંતી કરી.
આ બેઠકમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ વર્ષની થીમ “2047 નાં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો” છે. આ બેઠક દેશ સામેના વિકાસ પડકારો પર ચર્ચા કરવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રાજ્યોની ભૂમિકા પર સર્વસંમતિ બનાવવા માટે એક અનોખું મંચ પૂરું પાડે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ