પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની રાજધાનીઅમરાવતીમાં બાંધકામની કામગીરી ફરી શરૂ કરવા માટેનો શિલાન્યાસ કર્યો અને 58,000કરોડ રૂપિયાની અન્ય માર્ગ અને રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું.આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિયોજનાઓ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓ માટે મજબૂત પાયો રચે છે.
શ્રી મોદીએ ઉમેર્યું કે, ભારત એવા દેશોમાં સામેલ છે જેની માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસી રહી છે અને આંધ્રપ્રદેશને પણ આ પ્રગતિનો લાભ મળી રહ્યો છે.તેમણે કહ્યું કે એનડીએ સરકાર, ખાસ કરીને ખેડૂતોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાંસાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક રેલવે પરિયોજનાનું પણ લોકાર્પણ કર્યું. આ અગાઉ પ્રધાનમંત્રીએ નાગાય-લંકામાં એક હજાર 460 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનાર મિસાઇલ રેન્જનું ખાતમૂહુર્ત કર્યું.