પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં ૧૮ હજાર ૬૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નેતૃત્વમાં ઓડિશામાં પ્રથમ ભાજપ સરકારના એક વર્ષની ઉજવણી માટે આયોજિત ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે એક જાહેર રેલીને સંબોધતા તેમણે કહ્યું કે દેશમાં નક્સલવાદનો ભય ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકારે દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટાડીને ૨૦ થી ઓછી કરી દીધી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં, કેન્દ્રમાં ભાજપ સરકારે દરેક મોરચે આદિવાસી લોકોના જીવનને સુધારવા માટે કામ કર્યું છે. શ્રી મોદીએ કોંગ્રેસના શાસન મોડેલની પણ ટીકા કરી હતી, જેના વિશે તેમણે કહ્યું હતું કે મોટા પાયે ભ્રષ્ટાચારને કારણે લોકોનું જીવન દયનીય બન્યું છે, અને આસામ અને ત્રિપુરા સહિત અનેક રાજ્યોમાં ભાજપના સુશાસન મોડેલ પર પ્રકાશ પાડ્યો હતો, જે હવે શાંતિ અને વિકાસના માર્ગ પર છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઓડિશા ૨૦૩૬ સુધીમાં એક વિકસિત રાજ્ય બનશે.
આ અગાઉ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી જનતા મેદાન સુધી શ્રી મોદીએ મેગા રોડ શો પણ યોજ્યો હતો જેમાં લોકોએ મોટી સંખ્યામાં ત્રિરંગાથી તેમનું સ્વાગત કર્યું હતું.
Site Admin | જૂન 20, 2025 8:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
