પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી રહ્યાં છે. બેઠકોના ભાગરૂપે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવી દિલ્હીમાં શ્રી મોદી સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી..
ગઈકાલે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. અગાઉ વાયુસેનાના વડા એરચીફ માર્શલ અમર પ્રીત સિંહે પણ શ્રી મોદી સાથે બેઠક યોજી હતી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે અલગ અલગ બેઠકો યોજાઈ હતી.
Site Admin | મે 6, 2025 2:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક કરી.
