પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્સાલ્વિસ લોરેન્સિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે વાતચીત બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મીડિયા સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
Site Admin | મે 3, 2025 9:19 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સિયો સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો કરશે
