સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી. અંદાજે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠક પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદની સ્થિતિ અંગે યોજવામાં આવી.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ- C.D.S. જનરલ અનિલ ચૌહાણે ગઈકાલે શ્રી રાજનાથ સિંહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેમજ પહલગામ આતંકી હુમલા બાદ સેના દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે ચર્ચા કરી હતી.
Site Admin | એપ્રિલ 28, 2025 2:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા
