પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ગઈકાલે નારાયણગઢ પોલીસ સ્ટેશન હેઠળના કચરિયા ચોપાટી ગામ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી એક વાન ખુલ્લા કૂવામાં પડી જતાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બે નાના બાળકો સહિત ચાર અન્ય લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, બાઇક સાથે અથડાયા બાદ વાહને કાબુ ગુમાવ્યો હતો અને અંતે તે 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું હતું.
Site Admin | એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી
