ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 31, 2025 9:39 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રએ આવાસ યોજના-ગ્રામીણના ત્રણ લાખ લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપી હતી.આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિનો એક નવો યુગ જોવા મળી રહ્યો છે.