પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ સાથે આજે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વેપારી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી, જે દરમિયાન બંને દેશો વચ્ચે કેટલાક સમજૂતી કરાર થયા. વડોદરામાં આજે પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પશ્ચિમ ક્ષેત્રના સચિવ તન્મય લાલે જણાવ્યું કે આજે થયેલી ચર્ચા દરમિયાન બંને દેશોના હિતને લગતાં વેપાર, વાણિજ્ય, સંસ્કૃતિ, નવીનતા, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રો અંગે ચર્ચા થઇ અને રેલવે, જકાત, સાંસ્કૃતિક આદાન-પ્રદાન ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે વર્ષ 2026ને ભારત અને સ્પેન દ્વારા સંસ્કૃતિ, પ્રવાસન તેમજ એ.આઇ. ક્ષેત્ર માટેનું વર્ષ તરીકે ઉજવવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 7:39 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ સાથે આજે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વેપારી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી
