ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 7:55 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી કેરળમાં આજે દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે. શ્રી મોદી બંદરના સંચાલન ભવનની પણ મુલાકાત લેશે અને નિયંત્રણ પ્રણાલિઓનું નિરીક્ષણ કરશે. જાહેર-ખાનગી ભાગીદારી મૉડલ અંતર્ગત આ બંદરનો વિકાસ કરાશે. વિઝિન્જમ બંદરના પહેલા તબક્કાનું નિર્માણ ડિસેમ્બર 2024માં પૂર્ણ થયું હતું. આ બંદર કેરળની મહત્વની પરિયોજના છે અને અંદાજે ત્રણ દાયકાથી તે પૂર્ણ થાય તેવી રાહ જોવાઈ રહી છે.
આ સમારોહમાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનન્દ સોનોવાલ, રાજ્ય મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ