પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી રાજ્યના બે દિવસના પ્રવાસે ત્યારે તેમણે વડોદરાથી પ્રવાસનો આરંભ કરીને ભવ્ય રોડ શો યોજ્યો હતો.. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીયે સૈન્યને બિરદાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..વડોદરા બાદ પ્રધાનમંત્રી દાહોદ પહોંચ્યા હતા જ્યાં તેમણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણએ સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન અને દાહોદ-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું જ્યારે ગોધરા-આણંદ વચ્ચે 78 કિમી લાબી રેલવે લાઇનનું ડબલિંગ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કર્યું હતું.
દાહોદના કાર્યક્રમ બાદ તેઓ ભૂજ પહોંચ્યા હતા જ્યાં તેમણે સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેરસભા સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રીએ ભુજમાં 53 હજાર 400 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Site Admin | મે 27, 2025 7:36 એ એમ (AM)
પ્રધાનમંત્રીએ ગઇકાલે દાહોદમાંથી 24 હજાર કરોડ અને ભૂજમાં 53 હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ
