નેપાળના પોખરામાં આયોજિત ‘પોખરા મુલાકાત વર્ષ 2025’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. શનિવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન નાયબ પ્રધાનમંત્રી અને નાણાંપ્રધાન વિષ્ણુ પૌડેલ અને પોખરા મેટ્રોપોલિટન સિટીના મેયર ધનરાજ આચાર્ય દાઝી ગયા હતા.ગૃહમંત્રી રમેશ લેખકે કાસ્કીના મુખ્ય જિલ્લા અધિકારી ભરતમણિ પાંડેના સંકલન હેઠળ આઠ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિને 15 દિવસમાં તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.નાયબ પ્રધાનમંત્રી પૌડેલ અને મેયર આચાર્ય બંનેને કીર્તિપુરની હોસ્પિટલના સઘન સંભાળ એકમમાં સારવાર આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ બંનેના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે પૂછપરછ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:17 પી એમ(PM) | પોખરા મુલાકાત વર્ષ 2025
‘પોખરા મુલાકાત વર્ષ 2025’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી
