પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવાઈ ક્ષેત્ર બંધ 23મે સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી કે, આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં નોંધાયેલા, પાકિસ્તાની એરલાઇન્સ દ્વારા સંચાલિત, માલિકીના અથવા ભાડે લીધેલા વિમાનો અથવા લશ્કરી વિમાનો સહિત ઓપરેટરો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર ઉપલબ્ધ નથી. પાકિસ્તાની એરલાઇન્સને ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતી નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરવામાં આવી છે.
Site Admin | મે 1, 2025 9:17 એ એમ (AM)
પાકિસ્તાન પર એરસ્પેસના ઉપયોગ ઉપર ભારતે પ્રતિબંધ લાદ્યો
