ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 25, 2025 8:26 એ એમ (AM)

printer

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના આ પ્રતિબંધ પછી, ભારતીય વિમાનો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ શકશે નહીં. સોશિયલ મીડિયા પોસ્ટમાં, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પ્રતિબંધને કારણે, એર ઇન્ડિયા અને અન્ય એરલાઇન્સની ઉત્તર અમેરિકા, યુએઈ, યુરોપ અને મધ્ય પૂર્વની ફ્લાઇટ્સને વૈકલ્પિક લાંબા અંતરના રૂટનો ઉપયોગ કરવો પડશે.