ભારતે પહલગામ આતંકી હુમલાને લઈ ખોટી માહિતી ફેલાવવા બદલ ડૉન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જિઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુ-ટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત ચૅનલોના છ કરોડ 30 લાખથી વધુ દર્શક છે.
સરકારે હુમલા અંગે બીબીસીના રિપોર્ટીંગ પર પણ વાંધો ઉઠાવ્યો અને ભારતના બીબીસી પ્રમુખને દેશની ભાવનાઓથી અવગત કરાવ્યા છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ બીબીસીને ઔપચારિક પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને હવે વિદેશ મંત્રાલય દ્વારા બીબીસીના રિપોર્ટીંગ પર નજર રખાશે.
Site Admin | એપ્રિલ 28, 2025 1:58 પી એમ(PM)
પહલગામ આતંકી હુમલા અંગે ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતે 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ મુક્યો.
