નવેમ્બર 25, 2024 3:34 પી એમ(PM)

printer

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી

રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવે છે.