ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 23, 2025 3:18 પી એમ(PM)

printer

પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત

પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, શહેરાના ડેમલી ગામના સ્થાનિક પોતાના બે પુત્ર સાથે બાઈક પર રિંછરોટા ગામ પાસેથી પસાર થતા હતા.
દરમિયાન સામેથી આવેલી અન્ય બાઈક સાથે ટક્કર થતાં બંને બાઈકચાલકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને 108 એમ્બુલૅન્સ મારફતે ગોધરાની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગોધાર તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.