ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 26, 2025 2:38 પી એમ(PM)

printer

નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતે વળતો જવાબ આપ્યો

કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ આનો જોરદાર જવાબ આપ્યો. શ્રીનગર સ્થિત એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 25 અને 26 એપ્રિલની રાત્રે, કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ, કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સૈન્યના જવાનોએ પણ યોગ્ય કાર્યવાહી કરીને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ગોળીબારમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.