નવેમ્બર 13, 2025 9:17 એ એમ (AM)

printer

નિકાસકારો માટે નવી ધિરાણ ગેરંટી યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી – દિલ્હી કાર વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર

કેન્દ્રીય મંત્રીમંડળે નિકાસકારો માટે નવી ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપી છે, જે MSME સહિત નિકાસકારોને 100 ટકા ક્રેડિટ ગેરંટી ઓફર કરે છે. આ યોજના 20 હજાર કરોડ સુધીનું વધારાનું ધિરાણ પૂરું પાડશે, જે ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો વિશે મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનાનો હેતુ ભારતના એક ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યને ટેકો આપવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે.બીજા એક નિર્ણયમાં, કેબિનેટે સીઝિયમ, ગ્રેફાઇટ, રુબિડિયમ અને ઝિર્કોનિયમ જેવા મુખ્ય ખનિજો માટે રોયલ્ટી દરોમાં સુધારો કર્યો છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, આનાથી ખનિજ બ્લોક્સની હરાજી થશે અને લિથિયમ, ટંગસ્ટન અને નિઓબિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.