ધોલેરા-ભાવનગર ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત થયા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ અકસ્માતની ઘટના સાંઢીડા ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પણ અહી બે કાર વચ્ચેના અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા.
Site Admin | મે 25, 2025 7:49 પી એમ(PM)
ધોલેરા-ભાવનગર ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત
