દેશભરમાં આજે ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ શહેરના તમામ વિસ્તારોમાં સલામત અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે પેટ્રોલિંગ કરી રહી છે. દિલ્હી સરકારે ગાય, વાછરડા, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓના ગેરકાયદેસર બલિદાન સામે કડક સલાહ પણ જારી કરી છે. દિલ્હી સરકારે બલિદાનની વિધિઓના ફોટોગ્રાફ લેવા તેણે પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને એ પણ નિર્દેશ આપ્યો છે કે બલિદાન ફક્ત નિયુક્ત સ્થળોએ જ કરવામાં આવે. અલ્લાહના આદેશનું પાલન કરીને તેમના એકમાત્ર પુત્ર હઝરત ઈબ્રાહિમના બલિદાનની યાદમાં ઈદ-ઉલ-અઝહા મનાવવામાં આવે છે.
Site Admin | જૂન 7, 2025 8:38 એ એમ (AM)
દેશભરમાં આજે બલિદાનનો તહેવાર ઇદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે
