ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 4, 2024 3:22 પી એમ(PM)

printer

દિવાળીની રજાઓને પગલે કચ્છ, મહેસાણા સહિત રાજ્યના તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી

દિવાળીની રજાઓને પગલે કચ્છ, મહેસાણા સહિત રાજ્યના તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. કચ્છના સફેદ રણ, વૈશ્વિક ધરોહર ધોળાવીરા, ભુજમાં આવેલા પ્રાગમહલ, કચ્છ સંગ્રહાલય, આઈના મહલ, સ્મૃતિવન તેમજ સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જ્યારે સરહદી તાલુકા લખપતના કિલ્લા અને પ્રસિદ્ધ યાત્રાધામો માતાના મઢ, નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર અને હાજીપીર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, યાત્રાધામ બહુચરાજીમાં ગત ત્રણ દિવસથી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બીજી તરફ ઊંઝા ખેતાવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખેડૂતો, વેપારીઓ અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હવે લાભ પાંચમના દિવસે વેપારીઓ શુભ મુહૂર્ત કરી ધંધા-વેપાર ફરી શરૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ