ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 3:17 પી એમ(PM)

printer

દરિયાકિનારો ધરાવતા રાજ્યો અને બંદરો વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરિયાકિનારાના રાજ્યો અને બંદર શહેરો એ વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે. કેરળમાં દેશના પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કર્યા બાદ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વિઝિન્જમ બંદર નવી આર્થિક તક લઈને આવશે

શ્રી મોદીએ કહ્યું, ભારત સરકારે રાજ્ય સરકારના સહકારથી સાગરમાલા પરિયોજના અંતર્ગત બંદરોના માળખાને વધુ સુદ્રઢ બનાવ્યા છે. તેમજ બંદરોના જોડાણમાં પણ વધારો કર્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું, પીએમ ગતિશક્તિ અંતર્ગત દરિયાઈ માર્ગો, રેલવે, રાજમાર્ગ અને હવાઈમાર્ગના આંતર-જોડાણને ઝડપથી વધુ સારા બનાવવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જયંતીનો ઉલ્લેખ કરતાં કહ્યું, આદિ શંકરાચાર્યજીએ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ