મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ કરોડો દેશવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. અમદાવાદમાં ગઈકાલે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો. આજે સમગ્ર વિશ્વ ભારતના સૈન્ય અને વાયુ દળની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત છે.ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા ત્રિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં આગામી 23 મૅ સુધી રાષ્ટ્રવ્યાપી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ગઈકાલે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવી મુખ્યમંત્રી પણ યાત્રામાં જોડાયા હતા.
Site Admin | મે 14, 2025 9:21 એ એમ (AM)
ત્રિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઑપરેશન સિંદૂર’ને આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા ગણાવી
