ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 10, 2025 3:27 પી એમ(PM)

printer

જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું

જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના જસદણ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના લાંબા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. દરમિયાન તેમણે કમળાપુરમાં રૈન બસેરાનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું કે, ગામડાના નાગરિકોને સારા માર્ગ અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે કિસાન પથ યોજના અંતર્ગત આ માર્ગનું નિર્માણ કરાશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, હાલ ઉનાળાની ઋતુમાં બહેનોને પાણીના લીધે મુશ્કેલી ન પડે અને ખેતી સમૃદ્ધ બને તે માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ