ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને શોધવા માટેના અભિયાનના કાર્યની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે. પોલીસે 10 માસમાં ગુમ અને અપહરણ કેસના 400 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.રાજ્યના પોલીસ વડાની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરીથી શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત છેલ્લા 16 વર્ષથી ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યોનો સંપર્ક કરીને સાક્ષીઓના નિવેદનોને આધારે રાજ્ય તેમજ રાજ્ય બહાર અલગ અલગ ટીમો
દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જિલ્લાના ગુમ કે અપહરણ થયેલા વ્યક્તિઓ પૈકી મળી આવેલા 400 વ્યક્તિઓમાં 76 સગીરા અને 36 સગીર બાળકો મળી 18 વર્ષથી નાના 112
બાળકોનો સમાવેશ થાય છે.
Site Admin | નવેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને શોધવા માટેના અભિયાનના કાર્યની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે
