અવકાશ અને પરમાણુ ઊર્જા રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવામાં નૌકાદળ મહત્વની ભૂમિકા ભજવશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે 2026 એક સીમાચિહ્નરૂપ વર્ષ હશે, જેમાં ભારત અવકાશ અને ઊંડા સમુદ્ર બંનેનું સંશોધન કરશે. શ્રી સિંહે રોકેટ પહેલ માટે અવકાશ વિભાગના નવા મોડેલ અને પીએમ ગતિ શક્તિ, સ્વામિત્વ, સ્માર્ટ સિટીઝ અને અમૃત જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં અવકાશ અને ડ્રોન ટેકનોલોજીના વધતા ઉપયોગ પર પ્રકાશ પાડ્યો.
Site Admin | મે 6, 2025 7:55 પી એમ(PM)
ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવામાં નૌકાદળ મહત્વની ભૂમિકા ભજવશે :કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ
