કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે. પોરબંદરના બગવદર ખાતે 96 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઈ-ખાતમૂહુર્ત અને 53 લાખ રૂપિયાથી વધુના કામોના ઈ-લોકાર્પણ સમયે શ્રી માંડવિયાએ આમ જણાવ્યું હતું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરતાં તાજેતરના બજેટમાં પાક ધિરાણમાં વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરવાની જોગવાઈ કરાઇ છે. આ પહેલા શ્રી માંડવિયાએ મોકર સાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી. આજે સવારે શ્રી માંડવિયાએ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Site Admin | માર્ચ 2, 2025 7:28 પી એમ(PM) | કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે.
