પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીયમંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. માટેરાષ્ટ્રીય યોજનાને વધુ સુદ્રઢ અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતાકેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યોજના 1 હજાર સરકારી ITIને કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ એટલે કે, અપગ્રેડ કરવા અને 5રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ સંસ્થાઓને કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે 60 હજારકરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકાશે. તેનો ઉદ્દેશ રાજ્ય સરકારો અને ઉદ્યોગનાસહકારથી વર્તમાન ITI-ને સરકારનીમાલિકીની, ઉદ્યોગ-સંચાલિત કૌશલ્યસંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનો છે. ઉપરાંત મંત્રીમંડળે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરઅને કેરળમાં સ્થાપિત પાંચ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા- I.I.T.ના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને પણમંજૂરી આપી. તેનો ઉદ્દેશ આ મુખ્ય સંસ્થાઓમાં છ હજાર 500થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થાઓમાંઅભ્યાસ માટેની સુવિધાઓ પૂરી પાડવાનો છે. ઉપરાંત આર્થિક મામલાની મંત્રીમંડળ સમિતિ- CCEA-એ વીજળી ક્ષેત્રને કોલસા ફાળવણી માટે નીતિ ભારતમાંપારદર્શક રીતે કોલસા લણણી અને ફાળવણીની યોજના શક્તિમાં સંશોધનને મંજૂરી આપી છે.
Site Admin | મે 7, 2025 6:42 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રીમંડળે દેશની પાંચ I.I.T.ના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી
