કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક સુરત શહેરમાં થાય છે. નવસારીના અમલસાડમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે શ્રી પાટીલે આમ જણાવ્યું હતું. તેમણે પાણીની અછત દૂર કરવા સાથે ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.અમલસાડમાં શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરનાં રજત જયંતિ સમારોહ સાથે મંદિર પરિસદમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું.
Site Admin | એપ્રિલ 14, 2025 10:10 એ એમ (AM)
કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સુરતમાં સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક થઈ
