ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 2:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી શાહ જુનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું, સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકોનું વિમોચન કરશે.
આ ઉપરાંત શ્રી શાહ એ.ડી.સી. બૅન્કની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા સ્વર્ણિમ્ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં, બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં એસ.એ.જી. દ્વારા નિર્માણ પામનારા પેરા-હાઈપર્ફૉર્મન્સ સૅન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પૉર્ટલના લૉન્ચિંગ કાર્યક્રમમાં જોડાશે. શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.